અનુદ્વેગકરં વાક્યં સત્યં પ્રિયહિતં ચ યત્ ।
સ્વાધ્યાયાભ્યસનં ચૈવ વાઙ્મયં તપ ઉચ્યતે ॥ ૧૫॥
અનુદ્વેગ-કરમ્—ઉદ્વેગનું કારણ ન બને; વાક્યમ્—શબ્દો; સત્યમ્—સત્ય; પ્રિય-હિતમ્—હિતકારી; ચ—અને; યત્—જે; સ્વાધ્યાય-અભ્યસનમ્—વેદાધ્યયનનો અભ્યાસ; ચ એવ—તેમજ; વાક્-મયમ્—વાણીનું; તપ:—તપ; ઉચ્યતે—કહેવાય છે.
BG 17.15: જે વચનો ઉદ્વેગનું કારણ બનતા નથી, સત્ય, નિરુપદ્રવી તથા હિતકારી છે તેમજ વૈદિક શાસ્ત્રોનો નિત્ય પાઠ કરે છે—તેને વાણીની તપશ્ચર્યા કહેવામાં આવે છે.
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
સત્ય, નિરુપદ્રવી, પ્રિય અને શ્રોતા માટે હિતકારી શબ્દોનું ઉચ્ચારણ એ વાણીનું તપ છે. વૈદિક મંત્રોના જપના અભ્યાસને પણ વાણીની તપશ્ચર્યામાં સમાવિષ્ટ કરવામાં આવે છે. પ્રજાપિતા મનુએ લખ્યું છે:
સત્યં બ્રૂયાત્પ્રિયં બ્રૂયાન્ન બ્રૂયાત્સત્યમપ્રિયમ્
પ્રિયં ચ નાનૃતં બ્રૂયાદેષ ધર્મઃ સનાતનઃ (મનુ સ્મૃતિ ૪.૧૩૮)
“સત્ય એવું બોલો કે જે અન્યને પ્રિય લાગે. સત્ય એ રીતે ન બોલો જે અન્યને અપ્રિય લાગે. કદાપિ અસત્ય ન બોલો, ભલે તે પ્રિય લાગે. આ નૈતિકતા અને ધર્મનો સનાતન માર્ગ છે.”