સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ।
ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ ॥૨૯॥
સર્વ-ભૂત-સ્થમ્—સર્વ પ્રાણીઓમાં સ્થિત; આત્માનમ્—પરમાત્મા; સર્વ—સર્વ; ભૂતાનિ—જીવોને; ચ—અને; આત્મનિ—ભગવાનમાં; ઇક્ષતે—જુએ છે; યોગ-યુક્ત-આત્મા—ચેતના દ્વારા ભગવાન સાથે જોડાયેલ; સર્વત્ર—સર્વત્ર; સમ-દર્શન:—સમભાવે જોનાર.
BG 6.29: સાચા યોગીઓ તેમની ચેતનાનું ભગવાન સાથે જોડાણ કરીને સમાન દૃષ્ટિથી ભગવાનમાં સર્વ પ્રાણીઓને અને સર્વ પ્રાણીઓમાં ભગવાનને જોવે છે.
સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ।
ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ ॥૨૯॥
સાચા યોગીઓ તેમની ચેતનાનું ભગવાન સાથે જોડાણ કરીને સમાન દૃષ્ટિથી ભગવાનમાં સર્વ પ્રાણીઓને અને સર્વ પ્રાણીઓમાં ભગવાનને જોવે છે.
Sign in to save your favorite verses.
Sign InStart your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
ભારતમાં દિવાળીના પર્વ દરમિયાન દુકાનોમાં ભિન્ન-ભિન્ન પ્રકારના બીબાંઓમાં ઢાળેલી ખાંડની મોટરકાર, પુરુષ, સ્ત્રી, પ્રાણીઓ, દડો, ટોપી વગેરે વિવિધ સ્વરૂપની મીઠાઈઓ વેચવામાં આવે છે. બાળકો તેમના માતા-પિતા પાસે જીદ કરે છે કે તેમને મોટરકાર જોઈએ છે કે હાથી જોઈએ છે વગેરે... માતા-પિતા તેમની નિર્દોષતા પર હસે છે કે આ બધી મીઠાઈઓ એક જ ખાંડમાંથી બનાવવામાં આવી છે અને સમાન મધુરતા ધરાવે છે.
એ જ પ્રમાણે, પ્રત્યેક અસ્તિત્વમાન પદાર્થના ઘટકોમાં સ્વયં ભગવાન તેમની વિવિધ શક્તિઓના સ્વરૂપે સ્થિત છે.
એક દેશસ્થિતસ્યાગ્નિર્જ્યોત્સના વિસ્તારિણી યથા
પરસ્ય બ્રહ્મણ: શક્તિસ્તથેદમખિલં જગત્ (નારદ પંચરાત્ર)
“જે પ્રમાણે સૂર્ય, એક સ્થાને રહીને તેનો પ્રકાશ સર્વત્ર પાથરે છે, તે જ પ્રમાણે, પરમાત્મા તેમની વિવિધ શક્તિઓથી અસ્તિત્વ ધરાવતા પ્રત્યેક પદાર્થમાં વ્યાપ્ત રહે છે અને તેને ટકાવી રાખે છે. સિદ્ધ યોગીઓ, પ્રાપ્ત જ્ઞાનના પ્રકાશમાં પ્રત્યેક પદાર્થને ભગવાનના અનુસંધાનમાં જોવે છે.